ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિ મુનિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રવિ(મુનિ)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘ગુરુ-ભાસ’ (ર.ઈ.૧૭૨૫) તથા ‘કેશવજીનો ભાસ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-‘બાલાપુર-ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય’, કાંતિસાગરજી. [ગી.મુ.] રવિ(યો)-૩ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : નડિયાદના સાઠોદરા નાગર. અંબામાતાની સ્તુતિ કરતા ૧૭ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, અસાડ વદ ૨, સોમવાર; મુ.), ૧૯ કડીની ‘તિથિઓ’ (ર.ઈ.૧૮૫૬/સં.૧૯૧૨, પોષ સુદ ૭, રવિવાર; મુ.) તથા ૨૭ કડીના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકા કાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]