ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજકીર્તિ : આ નામે ૨૫ કડીનું ‘ચઉવિશજિન-સ્તવન’, ‘સદયવત્સ-ચરિત્ર-રાસ’ (લે.ઈ.૧૫૯૬) તથા ‘ભરતબાહુબલિ-છંદ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. જૈગૂકવિઓ : ૩(૧)[ર.ર.દ.]