ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજચંદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજચંદ્ર(સૂરિ) : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય’(મુ.), ‘જંબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય’ (ર.ઈ.૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. લીંહસૂચી[કી.જો.]