ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજપાલ મુનિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજપાલ(મુનિ)-૨ [ઈ.૧૫૬૬માં હયાત] : પીંપલકગચ્છની પૂર્ણચંદ્ર શાખાના જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પંરપરામાં વિમલપ્રભસૂરિના શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. લીંહસૂચી. [ર.ર.દ.]