ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજરત્ન-રાજરતન ઉપાધ્યાય વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજરત્ન/રાજરતન(ઉપાધ્યાય)(વાચક) : રાજરતનને નામે ૧૩ કડીની ‘નેમરાજુલના બારમાસા’(મુ.), ૮ કડીની ‘નેમજીના સાતવાર’(મુ.), ૧૬ કડીની ‘રાજુલની પંદર-તિથિ’ રાજરત્ન ઉપાધ્યાયને નામે ૨૫ કડીની ‘ચોવીસ તીર્થંકર-સવૈયા’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૨૪ કડીની ‘ચોમાસી-દેવવંદન’ અને રાજરત્નવાચકને નામે ૪ કડીની ‘અષ્ટમી-સ્તુતિ’(મુ.), ‘જ્ઞાતાધર્મ કથાંગસૂત્રની સઝાયો’ (લે.ઈ.૧૬૭૩), ‘ચાર પ્રત્યેક બુદ્ધની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૧ કડીનો ‘માણિભદ્રજીનો છંદ’(મુ.) આ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રાજરતન/રાજરત્ન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. જૈસમાલા (શા) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]