ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજરત્ન ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજરત્ન(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિ-વિશાલસોમસૂરિની પરંપરામાં જયરત્નના શિષ્ય. ૫૪૭ કડીનો ‘નર્મદાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૩૯), ૩૧ ઢાળનો ‘કૃષ્ણપક્ષી-શુક્લપક્ષી-રાસ/વિજ્યશેઠ વિજ્યાશેઠાણી-રાસ’ (ર.ઈ.૧૬૪૦), ૭૦૯ કડીનો ‘રાજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, પોષ-૧૦, રવિવાર) તથા પર કડીનું ‘નેમિનાથગુણવર્ણન-સ્તવન(ગિરનારમંડન)’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘કડખાની દેશી અને જૈન સાહિત્ય’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)(૨); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]