ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મનિધાનની પરંપરામાં વાચક વિદ્યાસાગરના શિષ્ય. ‘કુંડરિક-પુંડરિક-સંધિ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, પોષ સુદ ૭) તથા ‘કુલધ્વજકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકીં સૂચી’, અગરચંદ નાહટા;  ૬. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]