ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસિંહ મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજસિંહ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નયરંગ વાચકની પરંપરામાં વિમલવિજ્યના શિષ્ય. ‘વિદ્યાવિલાસ/વિનય-રાસ/વિનયચટ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, વૈશાખ) તથા ૨૭ ઢાળ અને ૫૫૧ ગ્રંથાગ્રની ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, જેઠ સુદ ૯), ‘જિનરાજસૂરિ-ગીત’, ‘પાર્શ્વ-સ્તવન’ તથા ‘વિમલ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. આરામશોભા રાસ (કથામંજૂષા શ્રેણી પુસ્તક-૭), સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]