ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજારામ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજારામ-૧ [ર.ઈ.૧૮૦૮માં હયાત] : સુરતના બ્રાહ્મણ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૫, બુધવારે ખેડાવાળ જ્ઞાતિના માણેકબાઈ સતી થયેલા તે પ્રસંગને વર્ણવતા ૯૨ કડીના ‘સતી-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૧૪, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ(+સં.). [શ્ર.ત્રિ.]