ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજુ ઋષિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજુ(ઋષિ)-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં કમલશેખરના શિષ્ય. ૩૩૩ કડીના ‘શિશુપાલ-રાસ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, આસો વદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]