ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલવિજ્ય(ઉપાધ્યાય)ના શિષ્ય. ૫૪ કડીની ‘ભરતબાહુબલીનું દ્વિઢાળિયું/બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૭૧૫/સં.૧૭૭૧, ભાદરવા સુદ ૧, રવિવાર; મુ.), ૬૩/૬૪ કડીની ‘ગોડીપાસ-સ્ત્વન/છંદ’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, આસો સુદ ૧૦), ૩ ઢાળનું ‘મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું સ્તવન/વીરજિન પંચકલ્યાણક’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, અસાડ સુદ ૫; મુ.), ૭૩ કડીનો ‘વિજ્યરત્નસૂરિ-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, ભાદરવા સુદ ૨ પછી; મુ.), ૪ ઢાલનું ‘(૨૪ તીર્થંકરનું) આંતરાનું સ્તવન’(ર.ઈ.૧૭૧૭; મુ.), ૫ કડીની ‘કુમતિ વિશે સઝાય’(મુ.), ૧૫ કડીની ‘ખંધકમુનિની સઝાય’, ૬ કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’(મુ.), ‘ચોવીશી’ (સ્વલિખિતપ્રત; મુ.), ૯ કડીની ‘રોહિણી તપ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં ૫ કડીનું ‘ધર્મજિન-સ્તવન’(મુ.), ૫ કડીની ‘પાર્શ્વનાથજીની હોરી’ અને ૫ કડીનું ‘મલ્લિજિન-સ્તવન’(મુ.) મળે છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐસમાલા : ૧; ૩.(શ્રી)ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૪. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૫. જિભપ્રકાશ; ૬. જિસ્તકાસંદોહ : ૨, ૭. જિસ્તમાલા; ૮. જિસ્તસંગ્રહ; ૯. જૈકાપ્રકાશ : ૧; ૧૦. જૈગૂસારત્નો : ૧; ૧૧. જૈપ્રપુસ્તક : ૧; ૧૨. જૈસમાલા(શા) : ૩; ૧૩. જૈસસંગ્રહ(ન); ૧૪. દેસ્તસંગ્રહ; ૧૫. લઘુચોવીશી વીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, ઈ.૧૯૩૯; ૧૬. સસન્મિત્ર(ઝ);  ૧૭. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘વીરભક્તિ’, સં. નિર્મળાબહેન. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. પાંગુહસ્તલેખો;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]