ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂખડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂખડ  : આ નામે ગણપતિની સ્તુતિ કરતું ૫ કડીનું ૧ પદ (મુ.) મળે છે. તેની અંતિમ પંક્તિમાં “દશનામ ચરણે ભણે રૂખડિયો”માં ‘દશનામ’ શબ્દ ગુરુનું નામ સૂચવે છે કે બીજું કંઈ તે સ્પષ્ટ થતું નથી. બીજા ગુરુમહિમાના ૫ કડીના ભજન(મુ.)માં “વાઘનાથ ચરણે બોલ્યો રૂખડિયો” એવી પંક્તિ મળે છે. તેમાં ‘વાઘનાથ’ ગુરુનામ હોવાની સંભાવના છે. હિંદીની છાંટવાળું ૬ કડીનું બીજું વૈરાગ્યભાવનું ભજન પણ આ નામે મળે છે. એ ત્રણેના કર્તા રૂખડ એક જ છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાતું નથી. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.). [કી.જો.]