ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂઘનાથ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂઘનાથ-૩ [ઈ.૧૮૦૬માં હયાત] : પિતાનામ વાઘજી. દેવસ્થળના વડનગરા નાગર બ્રાહ્મણ. ઈ.૧૮૫૮માં લીથોમાં છપાયેલ ‘પ્રહ્લાદના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૬/સં.૧૮૬૨, વૈશાખ સુદ-)ના કર્તા. પ્રસ્તુત કૃતિના ૫૭૦ ચંદ્રાવાળા (આશરે ૩૪૨૦ પંક્તિઓ)માં શિશુપાલથી પ્રહ્લાદના રાજ્યશાસન સુધીની કથા રજૂ થઈ છે. કૃતિ : પ્રહ્લાદના ચંદ્રવાળા,-. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. કદહસૂચિ; ૪. ગૂહાયાદી.[ચ.શે.]