ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ્ર પાઠક-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપચંદ્ર(પાઠક)-૨ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘જિનલાભ-સૂરિ-ગીત’(મુ.)ના કર્તા. જિનલાભસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૭૮)ના સમયને આધારે આ કવિ ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિવિજ્ય (+સં.). [ર.સો.]