ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપચંદ-૫ [ ] : જૈન સાધુ. ક્લયાણજીના પુત્ર. વિયોગના બારમાસના વર્ણન પછી અધિકમાસમાં મિલનની કથાને આલેખતી ૩૦ કડીની ‘નેમિનાથ-તેરમાસા’(મુ.)ના કર્તા. ચચ્ચાર માસના વર્ણનમાં જુદી જુદી દેશીઓ તથા ધ્રુવપદોનો ઉપયોગ આ કાવ્યમાં થયો છે તે આ કાવ્યની વિશેષતા છે. કૃતિના સંપાદકે કૃતિ સં. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં રચાઈ હોવાનું અનુમાન કર્યું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.). [ર.સો.]