ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીવિજ્ય-૪ [ઈ.૧૭૯૫માં હયાત] : જૈન સાધુ. ક્ષમાવિજ્યશિષ્ય. મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે રચેલા ૨૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૫/સં.૧૮૫૧, વૈશાખ સુદ ૬; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠાનું સ્તવન’, સં. શ્રી જયંતવિજ્યજી. [કા.શા.]