ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલચંદ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રની પરંપરામાં હીરનંદનના શિષ્ય. ૧૭ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨), ‘અદત્તાદાનવિષયે દેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૧૨, શ્રાવણ સુદ ૫), ૯૫ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તિ-ચતુષ્પદિકા’ (ર..૧૬૧૯), ૮૨૭ કડીની ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, કારતક સુદ ૧૫) અને ‘વૈરાગ્યબાવની’ (ર.ઈ.૧૬૩૯/સં.૧૬૯૫, ભાદરવા સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ. ૨. જૈગૂકવિઓ : ૧. ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]