ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વર્ધમાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વર્ધમાન : આ નામે ૨૫ કડીની ‘ઋષભદેવ-હમચી/શિખામણ-હમચી/સઝાય’ તથા અપભ્રંશમાં ‘વીર જિણેસર-પારણું’ એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ગી.મુ.]