ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તો-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિની પરંપરામાં જિનલાભના શિષ્ય. ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, માગશર વદ ૫, રવિવાર), ૧૦ કડીનું ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.), ૧૮ કડીની ‘ત્રેસઠસલાકાપુરુષ-સઝાય’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતિ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’(મુ.) તથા ૧૬ કડીનું ‘વીશસ્થાનક-સ્તવન’ના કર્તા. ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ તથા ૭ કડીની ‘રહનેમિરાજિમતિ-સઝાય’ કૃતિઓને ‘જૈન ગૂર્જર કવિઓ’ વસ્તિગ-૧ને નામે મૂકે છે, પરંતુ ભાષા દૃષ્ટિએ આ કૃતિઓ આટલા વહેલા સમયની જણાતી નથી અને અન્ય સંદર્ભો તો ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ને આ જ કર્તાને નામે મૂકે છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ; ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈસમાલા(શા); ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. જૈસસંગ્રહ(ન); ૭. પ્રાસ્તસંગ્રહ; ૮. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી.[કી.જો.]