ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૩ વસુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તો-૩/વસુ [ઈ.૧૭૬૯ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘વિક્રમરાય-ચરિત્ર/વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.ઈ.૧૭૬૯)ના કર્તા. આ કવિ અને વાસુ એક જ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે, પણ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]