ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાદિચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાદિચંદ્ર [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮/૬૩ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]