ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસેન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યસેન : આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ કડીની ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યસેન છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. ગુણસુન્દરજી, સં. ૧૯૮૩. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]