ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાપ્રભ સૂરિ -૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાપ્રભ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬૬૦ સુધીમાં] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂર્ણિમાગચ્છના ઈ.૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવતા લલિતપ્રભના ગુરુ વિદ્યાપ્રભ અને પ્રસ્તુત વિદ્યાપ્રભને ‘જૈન ગૂર્જર કવિઓ’ એક હોવાનું માને છે. ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૯૮ આસપાસ), ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન(રૂપપુરમંડન)’, ૩૨ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૨૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન (ઢંઢેરવાડાપાટણ)’ અને ૨૩/૨૫ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]