ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાપ્રભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાપ્રભ(સૂરિ) : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૫-‘આત્મભાવના-બત્રીશી’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]