ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિલાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાવિલાસ-૧ [ઈ.૧૬૭૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. માનવિજ્યશિષ્ય કમલહર્ષના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૭૩, સ્વહસ્તાક્ષરની પ્રત), ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) અને કેટલાક સંસ્કૃત અષ્ટકોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.) સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]