ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયભાવ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આનંદવિમલના શિષ્ય. ૧૧ અને ૧૮ કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિમાં આનંદવિમલનું અવસાન ઈ.૧૫૪૦માં થયું એમ ઉલ્લેખ મળે છે તેથી કૃતિ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં રચાઈ હશે એમ અનુમાન થાય છે. ‘હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ ભૂલથી આ રચનાઓને વિનયવિમલના નામે નોંધે છે. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]