ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯ પછી)ના કર્તા. આ ઉપરાંત રાજસાગરશિષ્ય વિનયસાગરના નામે ૧૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે જે આ જ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]