ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનીતવિમલ [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સલોકાસંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ; ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘વિમલશાહનોસલોકો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકા સાહિત્ય’,  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૬-‘સલોકાનો સંચય’, હીરાલાલ કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. [પા.માં.]