ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલરત્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિમલરત્ન [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૬/સં. ૧૭૦૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જિનરત્નસૂરિનિર્વાણ-ગીત’(મુ.) અને ૮ કડીના ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંચય (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]