ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃદ્ધિવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ધીરવિજય-લાભવિજયના શિષ્ય. મોહની પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫; અંશત: મુ.), ૩૮ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાય’(મુ.), ‘દશવૈકાલિક સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દશ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસમાલા(શા) : ૧; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]