ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃદ્ધિવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિજયના ગુરુભાઈ સત્યવિજયના શિષ્ય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૭૯/૮૪ કડીનું ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦, રવિવાર; મુ.), ૯૫ કડીનું ‘નવતત્ત્વવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, કારતક સુદ-, ગુરુવાર), ‘ચોવીસી’, ૭ કડીની ‘છ કાયના સઝાય’(મુ.), ૧૪ કડીની ‘દૃષ્ટાંતની સઝાય’ (મુ.), ૪ કડીની ‘નેમિનાથ-સ્તુતિ’, ૧૧ કડીની ‘ચૌદસીયબાવન ગણધર-સ્તુતિ’ તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ ઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા બાલાવબોધ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો-૧૫, ગુરુવાર; અંશત: મુ.) એ રચનાઓના કર્તા. કૃતિ : ૧. પ્રવિસ્તસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સઝાયમાલા : ૧-૨(જા.);  ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’, ઉમાકાંત પ્રે. શાહ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨), ૩. ડિકૉટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી.[ર.ર.દ.]