ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલસખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેલસખી [ઈ.૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે-આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ.)ની રચના કરી છે. કૃતિ : અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-‘ભક્ત કવયિત્રી વેલસખી’, તંત્રી. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]