ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શામદાસ મહારાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શામદાસ(મહારાજ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતના શિષ્ય. જ્ઞાતિએ પંચાલ. કાશીપુરા ગામ (તા. વડોદરા)ના વતની અને ત્યાંની જ્ઞાનગાદીના સ્થાપક. ચારથી ૮ કડીનાં ભજનો (૮મુ.)ના કર્તા. તેમનાં ભજનોમાં ગુરુની મહત્તા અને સમચરાચરમાં વસેલા શ્રીહરિની સ્તુતિ ગાવામાં આવી છે. તેમ જ પંચતત્ત્વથી ન્યારા શબ્દાતીત નામતત્ત્વનો મહિમા કરવામાં આવ્યો છે. કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૩’, છગનલાલ વિ. રાવળ. [દે.દ.]