ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસુખનિધિભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીસુખનિધિભાઈ [ઈ.૧૭૭૯માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના કવિ. તેઓ ગોધરાના મોટાભાઈની નાની બેનના દીકરા થાય. તેમણે ‘શ્રી વલ્લભરત્નરસાવલી’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૨૫, પોષ સુદ ૭) નામનો ગ્રંથ તથા ‘વલ્લભદાસ’ એવી નામછાપથી ઘણાં ધોળ તથા પદની રચના કરી છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી.જો.]