ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતરંગજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રુતરંગજી : આ નામે ૬ કડીની ‘નંદિષેણ-સઝાય’(મુ.), ૧૬ કડીના ‘નેમિનાથ-બારમાસ’ (લે.ઈ.૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ (લે.ઈ.૧૮૫૯), ૪૮ કડીનું નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શ્રુતરંગ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]