ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રુતસાગર(મુનિ)-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]