ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમરચંદ્ર સૂરિ-સમરસિંઘ-સમરસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/સમરસિંહ [જ.ઈ.૧૫૦૪/સં.૧૫૬૦, માગશર સુદ ૧૧-અવ. ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, જેઠ વદ ૧] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સિદ્ધપુર પાટણ (અણહિલપુર)ના વતની. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા ભીમા શાહ. માતા વાલાદે. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. મેઘરાજના ગુરુભાઈ.ઋષભદાસના સમકાલીન. એમને ‘નિર્ગ્રંથચૂડામણિ’નું બિરુદ મળેલું. દીક્ષા ઈ.૧૫૧૯માં. ઉપાધ્યાયપદ ઈ.૧૫૪૩માં અને સૂરિપદ ઈ.૧૫૪૮માં. અવસાન ખંભાતમાં. વિવિધ મુનિઓ વચ્ચેના ભેદ ને તેમના ગુણોને વર્ણવતો ૪૩૪ કડીનો ‘સાધુગુણરસ સમુચ્ચય-રાસ’ (ર.ઈ.૧૫૩૯/સં.૧૫૯૫, કારતક-; મુ.), ૨૫ કડીનું ‘આદીશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૫૪૪/સં.૧૬૦૦, કારતક-; મુ.), ૨૨ કડીનું ‘મુનિસુવ્રતસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૬૦૯, પોષ વદ ૮; મુ.), ૭૦/૭૫ કડીનું સદવહણાગર્ભિત ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧/સં.૧૬૦૭, જેઠ સુદ ૮ કે ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, મહા સુદ ૮; મુ.), ૧૭ કડીનું ‘શંખેશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧/સં.૧૬૦૭, પોષ વદ ૧૦), ૧૩ કડીનું ‘(શત્રુંજયમંડન) આદિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૨ કે ૧૫૫૦/સં.૧૬૦૮ કે ૧૬૦૬, મહા સુદ ૮; મુ.), ૧૧ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’, ૪૦ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’, (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘પાર્શ્વચંદ્રની સ્તુતિ’ ‘ઋષભ-સ્તવન’, ૨૦ કડીનું ‘કલ્યાણક-સ્તવન’, ૩૮ કડીનું ‘ચોવીસ જિન-નામાદિગુણ-સ્તવન’ ૫૩ કડીનું ચૌદ ગુણ સ્થાનક ગર્ભિત ‘મહાવીર-સ્તવન’, ૫૨ કડીનું કર્મપ્રકૃતિવિચારગર્ભિત ‘મહાવીર-સ્તવન’, ૧૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૬૧ કડીની ઉપદેશસારત્નકોશ ‘અગ્યારબોલની સઝાય’(મુ.), ૨૮ કડીની ‘પચીસ ભાવનાની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘આવશ્યક અક્ષરપ્રમાણ-સઝાય’(મુ.), ૨૧ કડીની અને ૧૧ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’, ૪૧ કડીની ‘કિરિયાસ્થાનક-સઝાય’(મુ.), ૧૦ કડીની ‘પાક્ષિક પ્રતિક્રમણની સઝાય’, ૫૩/૫૪ કડીની ‘બ્રહ્મચર્યવ્રત દ્વિપંચાશિકા/બ્રહ્મચરી/બ્રહ્મચર્ય-સઝાય’(મુ.), ૮ કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-સઝાય’(મુ.), ૪૧ કડીની ‘નાની આરાધના’(મુ.), ‘ઋષભદેવ-ગીત’, ૬૭ કડીની ‘જિન અંતરઢાલ’, ૭૪ કડીની ‘પ્રત્યાખ્યાન ચતુ:સપ્તતિકા’, ૭ કડીનું ‘વર્તમાન ચોવીશ જિન-ચૈત્યવંદન’, ૩૭ કડીનું અવગાહનાગર્ભિત ‘વીરસ્તવન-વિજ્ઞપ્તિ’, ‘સંસ્તારક-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૪૭/સં.૧૬૦૩, કારતક), ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’, ‘ષડાવશ્યક-બાલાવબોધ’ એ કૃતિઓના કર્તા. આ ઉપરાંત ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૮૭), ‘અજિતનાથ-સ્તવન’, ૮ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’, ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.), ‘પૂજાચોવીસી-સ્તોત્ર’, ૬ કડીની ‘વીશવિહરમાનજિન-સ્તુતિ’ (મુ.) આ બધી કૃતિઓના કર્તા આ જ સમરચંદ્ર હોવાની સંભાવના છે. કૃતિ : ૧. આઠ પ્રવચનમાતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૨. ઐરાસંગ્રહ (+સં.); ૩.જૈન રાસ સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૦; ૪. જૈરસંગ્રહ; ૫. પ્રાસ્મરણ; ૬. મોસસંગ્રહ; ૭. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રવાક મંગળદાસ લ., સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, વૈશાખ, ૨૦૦૩-‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૩; ૭. મુપુગૂહસૂચી; ૮. રાહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]