ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજકીર્તિ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહજકીર્તિ(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસારની પરંપરામાં હેમનંદન-રત્નહર્ષના શિષ્ય. ‘સુદર્શન-શ્રેષ્ઠિ-રાસ’ (ર.ઈ.૧૬૦૫), ૧૨૨ કડીના ‘કમલાવતી/કલાવતી-રાસ’ (ર.ઈ.૧૬૧૨), ‘શત્રુંજ્યમાહાત્મ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, કારતક સુદ ૧૫), ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, શ્રાવણ સુદ ૧૫), ‘શાંતિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, આસો સુદ ૧૦), ૧૧૩૪ ગ્રંથાગ્રના ‘દેવરાજવચ્છરાજ-ચોપાઈ/વત્સરાજર્ષિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬), ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ‘સાગર-શ્રેષ્ઠિ-કથા/સાગરશેઠ-ચોપાઈ (ર.ઈ.૧૬૧૯) વગેરે રાસકૃતિઓ; ‘ઉપધાનવિધિ-સ્તવન’, ૭ ગીતોનું ‘જેસલમેર ચૈત્ય પરિપાટી-સ્તવન’, ‘શતદલ પદ્મયંત્રમય-શ્રીપાર્શ્વનાથ-સ્તવન’, ૩૩ કડીની ‘થિરાવલી’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, માગશર વદ ૭), ૭૧ કડીની ‘વ્યસનસત્તરી’, ‘એકાદિશતપર્યન્ત-શબ્દસાધનિકા’, ૬ ખંડોમાં વિભાજિત ‘નામ-કોશ’ અને ગદ્યગ્રંથ ‘પ્રતિક્રમણ-બાલાવબોધ’ તથા ૯ કડીના બે ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.) અને ‘વ્રત-છત્રીસી’ (ર.ઈ.૧૬૩૨/સં.૧૬૮૮, આસો સુદ ૧૦; મુ.) જેવી રચનાઓ તેમની પાસેથી મળી છે. સહજકીર્તિના નામે ૧૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ મળે છે જે આ કવિની કૃતિ હોવાનું અનુમાન છે. રત્નસાગરગણિની સહાયથી રચેલ ‘કલ્પમંજરી/કલ્પસૂત્ર-વૃત્તિ’ (ર.ઈ.૧૬૨૯), ‘મહાવીર-સ્તુતિ-વૃત્તિ’ (ર.ઈ.૧૬૩૦), ‘ગૌતમકુલક-બૃહદ્-વૃત્તિ’ વગેરે કૃતિઓ તથા લક્ષ્મીકીર્તિગણિની સહાયથી રચેલ ‘સપ્તદ્વિપ/શબ્દાર્ણવવ્યાકરણઋજુપ્રાજ્ઞવ્યાકરણપ્રક્રિયા’(ર.ઈ.૧૬૨૫) આ કવિની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ષટદ્રવ્યનવિચારાદિ-પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. મરાસસાહિત્ય; ૬. યુજિનચંદ્રસૂરિ;  ૭. જૈન સત્યપ્રકાશ, જન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૮. એજન ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. લીંહસૂચી.[ર.ર.દ.]