ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ ઉપાધ્યાય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુકીર્તિ(ઉપાધ્યાય)-૪ [અવ.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, મહા વદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. પિતા વસ્તુપાલ, માતા ખેમલદેવી. તેઓ ઓસવાલવંશના સુચિતી ગોત્રના હતા. ઈ.૧૫૭૬માં જિનચંદ્રસૂરિના હાથે ઉપાધ્યાય પદની પ્રાપ્તિ. ૧૦૮ કડીની ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો વદ ૩૦), ૧૮૩ કડીની ‘અષાઢભૂતિ-પ્રંબંધ/રાસ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦), ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦), ૧૫ કડીની ‘નેમિનાથ ધમાલ’ (ર.ઈ.૧૫૬૮), ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦), ‘અમરસર’ (ર.ઈ.૧૫૮૨), ૧૩ કડીનું ‘ચૈત્રીપૂનમ/પુંડરિક/શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૫૬૭), ‘શીતલજિન-સ્તવન’ ‘શેષનામમાલા’, ‘કીર્તિરત્નસૂરિ, જિનરત્નસૂરિ અને ગુરુમહત્તા પરનાં ગીતો (૩મુ.), કેટલાંક સ્તવનો (૧ મુ.) આ પદ્યકૃતિઓ ઉપરાંત ‘સપ્તસ્મરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો વદ ૩૦), ‘અજિતશાંતિ સ્તવન-બાલાવબોધ’ અને ‘દોષાવહારબાલાવબોધ’ એ ગદ્યકૃતિઓ તથા ‘ભક્તામરસ્તોત્ર-અવચૂરિ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(પ્રસ્તા.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]