ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુરત્ન સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. તેઓ કદાચ પાર્શ્વચંદ્રસૂરિ કે જેમણે નવો ગચ્છ શરૂ કર્યો તેમના ગુરુ હોય. કૃતપુણ્યના ચરિત્રનિરૂપણ દ્વારા દાનનો મહિમા કરતા ૧૧૫ કડીમાં રચાયેલા ‘કયવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૫૨૩ આસપાસ)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]