ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિવિજય-૧-સિદ્ધવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિદ્ધિવિજય-૧/સિદ્ધવિજય [ઈ.૧૬૫૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ભાવવિજયના શિષ્ય. ૭ ઢાલ અને ૧૦૧/૧૧૨ કડીનું ‘નિગોદદુ:ખગર્ભિત સીમંધર જિનસ્તવન/વિનતિ’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩-સુદ ૭; મુ.), ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭), ૮ કડીનું ‘ઋષભદેવસ્વામીનું ચૈત્યવંદન’ (મુ.), ૭૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’ તથા ૧૦ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ: ૧. ઐસમાલા: ૧; ૨. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૩. પ્રાવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]