ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુજ્ઞાનસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુજ્ઞાનસાગર-૧ [ઈ.૧૭૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરિત્રસાગરની પરંપરામાં શ્યામસાગરના શિષ્ય. ‘અધ્યાત્મનયેન ચતુર્વિંશતિજિન-સ્તવન/ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને ૬ ખંડ ને ૨૧૫૨ ગ્રંથાગ્રની ‘ઢાલમંજરી/ઢાલસાગર/રામ-રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, માગશર સુદ ૧૨, રવિવાર) એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનું તત્ત્વ નોંધપાત્ર છે. સુજ્ઞાન-સાગરની નામછાપવાળું હિંદી-રાજસ્થાની ભાષાનું ૬ કડીનું ‘સમસ્યા બંધ-સ્તવન’ મળે છે. તે આ કવિની કૃતિ હોવાનો સંભવ છે. આ કૃતિ ભૂલથી જ્ઞાનસાગરશિષ્યને નામે નોંધાયેલી છે. કવિનો ઉલ્લેખ જ્ઞાનસાગર તરીકે પણ ક્યાંક થયેલો છે. કૃતિ : જૈગૂસારત્નો : ૨ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી[કા.શા.]