ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિહંસ ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિહંસ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ૩૫ કડીની ‘કરમ-પચીસી’ (ર.ઈ.૧૬૫૫; મુ.), ‘વૈદર્ભી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩, કારતક સુદ ૧૪) તથા ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૭, માગશર વદ ૬, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]