ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુર-સુરજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુર/સુરજી : ‘સુર’ને નામે ‘મહાવીર નિશાલ ગરણું પદ’, કોરંટગચ્છીય ‘સુરને’ નામે ૬૪ કડીની ‘વિચાર ચોસઠી’ એ જૈન કૃતિઓ, ૬ કડીની ‘કૃષ્ણવિષ્ટિ’ એ જૈનેતર કૃતિ તથા સુરજી શાહને નામે ‘આદિત્યવ્રતકથા’ (લે.ઈ.૧૮૧૫) મળે છે. તેમના કર્તા કયા સુર/સુરજી છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]