ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂરજી ભાર્ગવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂરજી ભાર્ગવ [ઈ.૧૬૬૪માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. ગુજરાત અને બીજા પ્રદેશોમાં રહેતા ૬ હજાર જેટલા ભક્તોના નામોની યાદી આપતી ‘વલ્લભ રત્નરસાલ ભક્તરાજ-નામાવલી’ (ર.ઈ.૧૬૬૪) નામક કૃતિના કર્તા. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]