ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમપ્રભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોમપ્રભ : આ નામે ૨૯ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ અને સોમપ્રભાચાર્યને નામે ‘આદિનાથ-ફાગ’ (ર.ઈ.૧૬૩૪) તથા સોમપ્રભસૂરિને નામે ‘ઔકિતક’ (લે.સં.૨૦મી સદી ચાલુ) મળે છે. આ કૃતિઓના કર્તા કયા સોમપ્રભ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. પાંગુહસ્તલેખો;  ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]