ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમસુંદર સૂરિ શિષ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોમસુંદર(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. મહાવીર નિશાળે જાય છે તે વિશેની ‘નિશાલ-ગરણું’ (ર.ઈ.૧૪૩૫), ૫૪/૫૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૪૪૪/સં.૧૫૫૦, મહાસુદ ૧૩) તથા ૮૧ કડીનો રાસ, અઢૈઉ, આંદોલા વગેરે દેશીમાં રચાયેલ, રાણપુરના મંદિરની પ્રશસ્તિ કરતી ‘રાણપુર-મંડનચતુર્મુખઆદિનાથ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]