ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સાધુવિજ્યના શિષ્ય. ૬ ઢાળ અને ૫૬ કડીની ‘વિજ્યદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭; મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ વિજ્યદેવસૂરિના અવસાન (ઈ.૧૬૫૭) પછી અને વિજ્યપ્રભસૂરિના સમયમાં રચાઈ છે એટલે કવિ ઈ.૧૭મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માની શકાય. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]