ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યસાગર [ઈ.૧૮૧૭માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાસાગરના શિષ્ય. ૩૨ કડીના ‘જંબૂકુમાર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(જૈ). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]