ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યહર્ષ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યહર્ષ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૫૧ કડીની ‘ગચ્છનાયક પટ્ટાવલી-સઝાય/સોમવિમલસૂરિ-ગીત’ (ર.ઈ.૧૫૪૬/સં.૧૬૦૨, જેઠ સુ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]